જગન્નાથ રથયાત્રા 2023: 7 દિવસના આરામ બાદ પરત ફર્યા ભગવાન જગન્નાથ, ભક્તોમાં ઉત્સાહ
પુરીમાં ભગવાન જગન્નાથની બહુદા યાત્રા (પરતરી રથ ઉત્સવ) માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મહાપ્રભુની પરત યાત્રા છે, જેના માટે વિવિધ સ્થળોએ વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.
20 જૂને ત્રણેય ભગવાન શ્રી મંદિરથી ગુંડીચા મંદિર ગયા હતા. ભગવાન જગન્નાથ સ્વામી બલભદ્ર અને ભગવતી સુભદ્રા સાથે તેમની માસીના ઘરે 7 દિવસ આરામ કર્યા બાદ પરત ફરી રહ્યા છે. આ યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. આ સાથે રથયાત્રા મહોત્સવ 2023 સમાપ્ત થશે.
જગન્નાથ ધામમાં રથયાત્રા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પુરીમાં મહાપ્રભુ ભગવાન જગન્નાથની પરત યાત્રા છે જેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઈજી આશિષ કુમાર સિંહે જણાવ્યું કે અમે લગભગ 180 પ્લાટુન તૈનાત કરી છે. ટ્રાફિક માટે એડીજીના નેતૃત્વમાં ગઈકાલે ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારી આ તૈનાતી 1 જુલાઈ સુધી રહેશે. શ્રદ્ધાળુઓની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે અમારી પ્રાથમિકતા છે.