ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા 41 દિવસ પહેલા મોકલવામાં આવેલા ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગથી સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ હતી. ચંદ્રયાનના સફળ ઉતરાણ પર ભાજપના કાર્યકરો અને નેતાઓએ પણ ડીસામાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ISRO દ્વારા લોન્ચ કરાયેલ ચંદ્રયાન 3 આજે ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. સવારથી જ ચંદ્રયાનના સફળ ઉતરાણ માટે દેશ-વિદેશમાં હોમહવન, પૂજા, સામૂહિક આરતી અને પ્રાર્થના કરવામાં આવી રહી હતી. ચંદ્રયાનના સફળ ઉતરાણની ક્ષણોનું સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ચંદ્રયાન લેન્ડ થતા જ ઈસરોના વૈજ્ઞાનિકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. આ સાથે દેશભરમાં અનેક જગ્યાએ આતશબાજી કરવામાં આવી હતી.
ત્યારે ડીસામાં પણ સાંઈબાબા મંદિર સામે ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. જેમાં કાર્યકરોએ તિરંગા સાથે ભારત માતા કી જય…વંદે માતરમના નારા સાથે એકબીજાનું મોં મીઠુ કરાવીને આ ગૌરવપૂર્ણ પળની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત નગરસેવકો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે ડીસામાં પણ સાંઈબાબા મંદિર સામે ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. જેમાં કાર્યકરોએ તિરંગા સાથે ભારત માતા કી જય…વંદે માતરમના નારા સાથે એકબીજાનું મોં મીઠુ કરાવીને આ ગૌરવપૂર્ણ પળની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત નગરસેવકો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.