ડીસા એપીએમસી ખાતે શ્રી વિજયેશ્વર મહાદેવ મંદિરના નવા મંદિરના નિર્માણ બાદ પ્રથમ દિવસે ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, હવન અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે શહેરમાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એક કિલોમીટર લાંબી શોભાયાત્રામાં બગીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળ ડીસા દ્વારા ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડીસા માર્કેટયાર્ડમાં બનેલ શ્રી વિજયેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ સુદ 3જી શનિવારના પ્રથમ દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે રવિવારે ડીસા એપીએમસીથી નીકળેલી શોભાયાત્રા એસવી પ્લાઝા, વિરેન પાર્ક, મેઘદૂત સોસાયટી, અંબિકા ચોક, ચંદ્રલોક સોસાયટી, લાયન્સ રોડ, સરદાર બાગ, બગડા સર્કલ, ભણસાલી રોડ, દીપક હોટલ થઈને પરત નિજ મંદિરે પહોંચી હતી. ડીસા એપીએમસીના પ્રમુખ ગોવાભાઈ રબારી, ઉપપ્રમુખ અરજણભાઈ પટેલ, સેક્રેટરી અમૃતભાઈ જોષી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ, કારકુનો અને હમાલ તોલતભાઈ શોભાયાત્રામાં જોડાયા હતા. ગાડા સાથેની શિસ્તબદ્ધ શોભાયાત્રા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.