આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘કુપોષણથી મુક્તિ’ વિષય પર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 145થી વધુ મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો હતો. કુપોષણના લક્ષણો, કુપોષણથી બચવા શું ખાવું, ખોરાકને સંતુલિત બનાવવા શું કરવું વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એસ્પી ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા કાંટ ગામમાં કુપોષણમાંથી મુક્તિ મેળવવા પોષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં કાંટ ગામની 145 થી વધુ મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો હતો. તાલીમ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમ અધિકારી ડો. પ્રીતિ એચ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કુપોષણથી બચવા જરૂરી મહત્વના મુદ્દાઓ જેમ કે વિવિધ પોષણની ઉણપથી થતા રોગો, કુપોષણના લક્ષણો, કુપોષણથી બચવા કેવી રીતે ખાવું અને પીવું, ખોરાકને સંતુલિત બનાવવા શું કરવું વગેરે જેવી બાબતો તેમણે સરળ ભાષામાં સમજાવી. રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ ગામમાં પોષણ જાગૃતિ રેલી કાઢી. સ્વયંસેવકો દ્વારા કુપોષણ નાબૂદી અંગે બે સુંદર નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અસ્પી ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા કાંટ ગામમાં કુપોષણમાંથી મુક્તિ મેળવવા પોષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં કાંટ ગામની 145 થી વધુ મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો હતો. તાલીમ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમ અધિકારી ડો. પ્રીતિ એચ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કુપોષણથી બચવા જરૂરી મહત્વના મુદ્દાઓ જેમ કે વિવિધ પોષણની ઉણપથી થતા રોગો, કુપોષણના લક્ષણો, કુપોષણથી બચવા કેવી રીતે ખાવું અને પીવું, ખોરાકને સંતુલિત બનાવવા શું કરવું વગેરે જેવી બાબતો તેમણે સરળ ભાષામાં સમજાવી. રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ ગામમાં પોષણ જાગૃતિ રેલી કાઢી. સ્વયંસેવકો દ્વારા કુપોષણ નાબૂદી અંગે બે સુંદર નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.