દાંતીવાડાના ઓઢવા સુદરપુરા ગામના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. જેમાં ગામના સ્થાનિક તરવૈયાઓને યુવક તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તળાવમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી જો કે ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. તળાવની. , દાંતીવાડા તાલુકાના ઓઢવા શુદરપુરા ગામના તળાવમાં આજે એક યુવકનું ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે અંગે ગામના સરપંચ રણજીતસિંહ અને ભમરસિંહ મહેતાપસિંહ, કિરીટસિંહ સિદ્ધાર્થસિંહ આગેવાન અને તરવૈયાઓ તાત્કાલિક ગામ નજીકના તળાવમાં પહોંચી ગયા હતા. જોકે, સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકને બહાર કાઢ્યો હતો અને ગામના સરપંચે દાંતીવાડા પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.