દાહોદમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. દાહોદના વેલપુરા હાઈવે પર બે એસટી બસ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગઈકાલે એટલે કે રવિવારે પણ ગરબાડા તાલુકાના ભા ગામે બાઇક સવાર પર વીજ પોલ પડતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વીજ પોલની લપેટમાં આવી જતા જીઆરડીમાં કામ કરતા યુવાનનું મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગ પર વીજ પોલ પડતાં એક યુવકનું મોત થયું હતું.