ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી ધરોઈ સિંચાઈ યોજનામાં દિવસે નવા નીરનો ઉમેરો થઈ રહ્યો છે. હાલમાં જળાશય કેચમેન્ટ એરિયામાં 2326 ક્યુસેક પાણી ઉમેરાઈ રહ્યું છે. ક્ષમતાની પરોક્ષમા ડેમમાં 70 ટકાથી વધુ પાણી એકત્રિત થયું છે. જળાશયમાં પાણી સમાવવા પાત્ર મહત્તમ સપાટી 622 ફૂટ છે ત્યારે હાલમાં 616.41 ફૂટને પાર નીકળી રહી છે. મહત્તમ સપાટી કરતા જળાશયમા પાણીની સપાટી માત્ર 5.83 ફૂટ નીચે છે, હજુ વરસાદની આગાહીને પગલે ડેમમાં પાણીની સપાટી વધુ ઉચકાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા ડેમ પણ પાણીથી છલકાઈ ગયો છે. ધરોઇ ડેમ સાઈટ પરથી મળતી માહિતી પ્રમાણે જળાશયમા વધુમાં વધુ 189.59 મિલિયન ઘનમીટર પાણીનો ગ્રોથ જથ્થો સમાવી શકવાની ક્ષમતા છે. આ ક્ષમતા સામે ડેમમાં પાણીનો જથ્થો 644.06 મિલિયન ઘન મીટર જથ્થો એકત્રિત થયો છે. જેની ટકાવારી 79.20 ટકા જેટલો છે. જ્યારે જળાશયમા પાણીનો જીવંત જથ્થો સમાવવાની ક્ષમતા 745.63 મિલિયન ઘનમીટર છે.
આ ક્ષમતા સામે હાલમાં 576.55 મિલિયન ઘન મીટર પાણી એકઠું થયું છે. નોંધપાત્ર છે કે, ધરોઈ ડેમમાં પાણીની મહતમ આવક અરવલ્લીની ડુંગર માળાઓના ઉપરવાસમાં થઈને આવે છે. હજુ પણ પાણીની આવક નોંધપાત્ર માત્રમાં ચાલુ છે. પરંતુ ડેમની સપાટી 616.41 ફૂટ હોવાને કારણે હેઠવાસમાં પાણી છોડવાનું બંધ છે.
આ ક્ષમતા સામે હાલમાં 576.55 મિલિયન ઘન મીટર પાણી એકઠું થયું છે. નોંધપાત્ર છે કે, ધરોઈ ડેમમાં પાણીની મહતમ આવક અરવલ્લીની ડુંગર માળાઓના ઉપરવાસમાં થઈને આવે છે. હજુ પણ પાણીની આવક નોંધપાત્ર માત્રમાં ચાલુ છે. પરંતુ ડેમની સપાટી 616.41 ફૂટ હોવાને કારણે હેઠવાસમાં પાણી છોડવાનું બંધ છે.