ધાનેરા તાલુકાના જડિયા ગામના પૂર પ્રભાવિત દુકાનદારો આજે પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી સહાય ચૂકવવાની માંગ કરી હતી.
ધાનેરા તાલુકાના જડિયા ગામમાં બે મહિના પહેલા ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું. જેમાં 40 જેટલી દુકાનોમાં પાણી ભરાઇ જતાં દુકાનદારોને ભારે નુકસાન થયું હતું. પુરમાં દુકાનોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જવાથી લાખોનું નુકસાન થતા દુકાનદારો મદદની માંગ કરી રહ્યા છે. ધાનેરા તાલુકા પંચાયત પ્રાંત કચેરીમાં રજૂઆત કરવા છતાં દુકાનદારો આજે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરને આવેદન આપીને મદદ માટે વિનંતી કરવામાં આવી હતી.