રાજપૂત કરણી સેનાના નેતા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. જેના પડઘા દેશભરમાં પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, અમીરગઢ અને ઈકબાલગઢમાં આજે કડક લોકડાઉન કરવામાં આવ્યું હતું. કરણી સેના અને રાજપૂત યુવા સંગઠન દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. ઈકબાલગઢ અને અમીરગઢમાં સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.
રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યાના પડઘા રાજસ્થાનની સાથે ગુજરાતમાં પણ પડ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, અમીરગઢ ઈકબાલગઢ તમામ વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યું હતું અને કરણી સેના રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે હત્યારાઓને તાત્કાલિક સજા કરવાની માંગ કરી હતી. આગેવાનોએ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સત્વરે હત્યારાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યાના પડઘા રાજસ્થાનની સાથે ગુજરાતમાં પણ પડ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, અમીરગઢ ઈકબાલગઢ તમામ વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યું હતું અને કરણી સેના રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે હત્યારાઓને તાત્કાલિક સજા કરવાની માંગ કરી હતી. આગેવાનોએ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સત્વરે હત્યારાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.