રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે બસ સ્ટેન્ડ પાસે આવેલા મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે રહેણાંક વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.