દેવભૂમિ દ્વારકામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં ખંભાળિયા નજીક નયારા રિફાઈનરીમાં પાઈપલાઈનમાંથી ગરમ પાણી વહેવાને કારણે અરાજકતા સર્જાઈ હતી. આ અકસ્માતમાં 10 કર્મચારીઓ દાઝી ગયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બે કર્મચારીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.