(GNS) તા. 19
ધ્રુવીકરણ ઠક્કર
નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી નવદુર્ગાના “કાત્યાયની” સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં માતા કાત્યાયનીને ભગવાન બ્રહ્માની માનસિક પુત્રી માનવામાં આવે છે. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તેણીને છઠ મૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા કાત્યાયનીનુનું સ્વરૂપ સૌથી સુંદર છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી ધાર્મિક પૂજાથી ભક્તોને વિશેષ લાભ મળે છે. આ સાથે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ પર પણ વિજય મેળવે છે. શાસ્ત્રો અનુસાર માતનુનું સ્વરૂપ સોના જેવું ચમકતું અને ચાર હાથ છે. દરેક હાથમાં માતા તલવાર, કમળ, અભય મુદ્રા અને વર મુદ્રા ધરાવે છે. માતા કાત્યાયનીને લાલ રંગ સૌથી વધુ પસંદ છે. પૌરાણિક કથાઓ અનુસાર, મહર્ષિ કાત્યાયનીની તપસ્યા બાદ માતા કાત્યાયનીએ તેમની પુત્રી તરીકે જન્મ લીધો હતો. દુર્ગાએ તેના સ્વરૂપમાં મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓ અને મનુષ્યોને તેના આતંકમાંથી મુક્ત કર્યા.
કાત્યાયની, જેને મહિષાસુરમર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રાચીન ગ્રંથો અનુસાર, મહિષાસુર રાક્ષસને મારવા માટે દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંયુક્ત શક્તિઓ દ્વારા બનાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે, દેવી કાત્યાયનીના આશીર્વાદથી ઉપાસકના પાપ ધોવાઇ જાય છે, નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને અવરોધો દૂર થાય છે.