મુંબઈઃ ઇલેક્ટ્રિક વાહનોના વૈશ્વિક ઉત્પાદકોને આકર્ષવા માટે ભારતે બનાવેલી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસીને વૈશ્વિક ખેલાડીઓ તરફથી સ્વીકૃતિ મળી રહી છે, પરંતુ ચીન અથવા ચીન સાથે જોડાયેલી કંપનીઓને આ નીતિનો લાભ મળવાની શક્યતા નથી.
નીતિ હેઠળ, વૈશ્વિક ઉત્પાદકોને 15 ટકા ડ્યુટી રાહત આપવામાં આવે છે, પરંતુ આ માટે તેઓએ ભારતમાં ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.
ભારતને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર ચીની કંપનીઓ અથવા ચીની કંપનીઓ સાથે જોડાયેલી કંપનીઓ પાસેથી સીધા વિદેશી રોકાણને આકર્ષવામાં કોઈ રસ નથી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ચીન EV સેક્ટરમાં મજબૂત ખેલાડી હોવા છતાં ભારત તેની કંપનીઓને અહીં આવતા રોકવા માંગે છે.
EV નીતિ હેઠળ, ન્યૂનતમ રોકાણ સિવાય, સંભવિત કંપનીએ ભારતમાં ઈ-વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે ત્રણ વર્ષની અંદર ઉત્પાદન એકમ સ્થાપવું જરૂરી છે. આ શરતોનું પાલન કરતી કંપનીઓને જ આયાત ડ્યૂટીમાં 15 ટકાની રાહત મળી શકે છે.
ભારતે હાલમાં જ નવી EV પોલિસી જાહેર કરી છે. આ નીતિ હેઠળ, ભારતમાં ઇવી ઑફ-રોડ વાહનોનું ઉત્પાદન એકમ સ્થાપિત કરતી વિદેશી કંપનીને ભારતમાં આયાત ડ્યૂટીના ઘટાડેલા દરે મર્યાદિત સંખ્યામાં કાર આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ માટે કારની કિંમત 35000 ડોલર અથવા તેનાથી વધુ હોવી જોઈએ. સરકાર તરફથી માન્યતા મળ્યા બાદ રાહત મેળવવાની સમય મર્યાદા પાંચ વર્ષની રહેશે.