પાટણના દામજીરાવ બાગમાં છત્રપટેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ ભગવાન કાર્તિક સ્વામીનું મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. ત્યારે સોમવારે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભગવાન કાર્તિકેય સ્વામીના મંદિરના દ્વાર ખોલવામાં આવતા સવારથી જ દશાનન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાનના મુખના દર્શન કરવા વહેલી સવારથી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભક્તો ધોડાપુરમાં ઉમટી પડ્યા હતા અને દર્શનનો મોકો મળ્યો હતો.
પાટણના દામાજીરાવ બાગમાં આવેલા 250 વર્ષ જૂના પૌરાણિક છત્રપટેશ્વર મંદિરમાં ભગવાન કાર્તિક સ્વામી સહિત સમગ્ર શિવ પરિવાર રહે છે. ત્યારબાદ કારતક પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલી ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યું હતું.
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભગવાન કાર્તિકેયના મુખના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ ભાઈ રાજપૂત પરિવારે યજમાન તરીકેની ભૂમિકા ભજવી હતી. પાટણના બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજા કરી હતી. આ પ્રસંગે કાર્તિકેય સ્વામીનો પંચામૃત મહાઅભિષેક કરવામાં આવ્યો હતો, જેનું આયોજન પાટણના સામાજિક કાર્યકર આગેવાન અને સ્થાનિક કાઉન્સિલર ગોપાલસિંહ રાજપૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભગવાન કાર્તિકેયના મુખના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ ભાઈ રાજપૂત પરિવારે યજમાન તરીકેની ભૂમિકા ભજવી હતી. પાટણના બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન પૂજા કરી હતી. આ પ્રસંગે પાટણના સામાજિક કાર્યકર આગેવાન અને સ્થાનિક કાઉન્સિલર ગોપાલસિંહ રાજપૂત પરિવાર દ્વારા કાર્તિકેય સ્વામીનો પંચામૃત મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.