ધાર્મિક નગરી પાટણમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તોની આસ્થાનું પ્રતિક બની રહ્યા છે ત્યારે પાટણ શહેરના પંચમુખી હનુમાનજી મંદિર પાસે આવેલ શ્રી બિન્દુક્ષણી ગાત્રીશ્રી માતાજીનું મંદિર પણ આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. ભક્તો અમદાવાદ હાઈકોર્ટના સિનિયર એડવોકેટ પ્રદિપભાઈ ભટ્ટના પુત્ર ભક્તો.ચી. ઋષિતભાઈ અને પુત્રવધૂ ચિ. પ્રહરબેન પર માતાજીના આશીર્વાદ વરસાવ્યા બાદ આનલ અને તાણીયાની ખુશીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ઇલાબેન પ્રદિપભાઇ ભટ્ટ પરિવારજનો સહિત ઉપસ્થિત રહી દશન પ્રસાદ લઇ આશીર્વચન પાઠવ્યા હતા.
શ્રી બિન્દુક્ષણી ગાત્રશ્રી માતાજી મંદિર પરિસરમાં આયોજીત યજ્ઞના ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના સંચાલક ભગુભાઈ શુકલ, આશુતોષ શુકલ અને સ્મિતાબેન પટેલ સહિત સેવક પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.