જિજ્ઞાબેન શેઠ પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં જૈન તીર્થધામ સમા શંખેશ્વર ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે અને શિક્ષણની સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું અવિરત કાર્ય કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરી રહ્યાં છે. તાજેતરમાં, શ્રી જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ, તેમની સમગ્ર ટીમે શંખેશ્વરથી 24 કિમી દૂર જંગલની મધ્યમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને કપડાં, વાસણો અને પગરખાં, રાશન કીટ જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું.