દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં 39મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 12 નવપરિણીત યુગલો સમાજની હાજરીમાં અને સમાજના રીત-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાયા હતા. પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા આયોજિત 39મા સમૂહલગ્ન નિમિત્તે દરેક નવવિવાહિત યુગલને રોકડ સહિત 47 જેટલી વિવિધ ભેટસોગાદો આપવામાં આવી હતી. સમાજના દાતા. નવદંપતીને આશિર્વાદ આપવા સંત-મહંત અને પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના 39મા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ પ્રજાપતિ, મંત્રી નિરૂભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ દલવાડી, ખજાનચી પ્રહલાદભાઈ પ્રજાપતિ, ઓડિટર મહેશ સ્વામી સહિત અરુણ પ્રજાપતિ, પ્રહલાદ એમ. પ્રજાપતિ, દિનેશ પ્રજાપતિ, ગણપતલાલ પ્રજાપતિ, જીતેન્દ્ર ઓટિયા સમૂહ લગ્ન સમિતિના પ્રો. પ્રમુખ મુકેશભાઈ પ્રજાપતિ, વિજયભાઈ સ્વામી, કનુભાઈ પ્રજાપતિએ સુંદર આયોજન કર્યું હતું.