પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલી સંસ્કાર શાળામાં બનાસકાંઠા જિલ્લા મેલેરિયા અધિકારી ડો.જીજ્ઞેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને PPT દ્વારા તમાકુથી થતા નુકસાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સંદર્ભે શાળામાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકથી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને સમાજને કેવી રીતે નશા મુક્ત બનાવી શકાય તેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.