પાલનપુરના ગઢ પંથકમાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલે સગીરની માતાએ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટના વિશે પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ 4 ડિસેમ્બરે સગીરનું અપહરણ કર્યું હતું. જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જોકે, સગીર ન મળતા તેના પરિવારના સભ્યો ગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 6 ડિસેમ્બરે આરોપી સગીરને ગઢ વિસ્તારમાં છોડીને ભાગી ગયો હતો. જેથી સગીરની માતાએ યુવક વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.