બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં 31મી જુલાઈના રોજ પાલનપુર ખાતે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન મથકોની પુનઃરચના અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદાન મથકોની સંખ્યા 1500 થી વધારીને 1500 કરવામાં આવશે. આ બાબતને ધ્યાને લઈ રાજકીય પક્ષોના પ્રમુખો અને પ્રતિનિધિઓની હાજરીમાં મતદાન મથકની ફેરબદલી, મતદાન મથકની સેક્શન ટ્રાન્સફર અને મતદાન મથકના વિલીનીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતા સૂચનોને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય આયોજન માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણી પંચની સૂચના મુજબ જિલ્લાના કુલ 2612 મતદાન મથકોમાંથી 63 મતદાન મથકો ઘટાડવાની દરખાસ્ત બાદ 61 મતદાન મથકોને મર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 1500 થી વધુ મતદારો ધરાવતા 4 નવા મતદાન મથકો ઉમેરાયા છે, જેમાં સુધારા સાથે જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યા 2555 થઈ ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બનાસકાંઠા દ્વારા મળેલી પ્રાથમિક દરખાસ્તના આધારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાન મથકોની વિગતવાર પુનઃરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષોના મતદાન મથકો અંગેના સૂચનો આવકારવામાં આવ્યા હતા. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવી, તમામ 9 વિધાનસભાના રિટર્નિંગ ઓફિસરો અને રાજકીય પક્ષોના પ્રમુખો/પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.