(જીએનએસ), 23
જૂનાગઢ પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસની તપાસ તેજ બની છે. હાઈકોર્ટના ધક્કા ખાધા બાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે. પોરબંદર એસપી જાડેજા ડીવાયએસપી નીલમ ગોસ્વામી સાથે જૂનાગઢ પહોંચી ગયા છે. જ્યાં જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર પહોંચી તપાસ શરૂ કરી હતી. એસપી બીયુ જાડેજા અને ડીવાયએસપી ગોસ્વામીના આપઘાત કેસમાં આરોપીઓની સંડોવણી અંગે પુરાવા એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલીક મહત્વની વિગતોની ખરાઈ કરવા પોલીસ અધિકારીઓ જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યા હતા. કંટ્રોલ રૂમની વિગતો મેળવી હતી. પોરબંદર એસપી અને ડીવાયએસપીએ હાજરી, પોલીસ વાહનની વિગતો સહિતની માહિતી મેળવી હતી. સીસીટીવી ફૂટેજ અંગે પણ વિગતો મેળવી હતી. તપાસ બાદ રિપોર્ટ જૂનાગઢ રેન્જ આઈજી અને સરકારને મોકલવામાં આવશે. હાઈકોર્ટે પોરબંદર એસપીને સીધી મોનીટરીંગ તપાસ કરવા પણ જણાવ્યું હતું. જે બાદ હવે પોરબંદર એસપી પણ તપાસ માટે રૂબરૂ જૂનાગઢ પહોંચ્યા હતા.