મુંબઈઃ બજાજ ફાઇનાન્સ લિમિટેડ (બજાજ ફાઇનાન્સ), નોન-બેંકિંગ નાણાકીય વ્યાપાર ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક, સોમવારે જણાવ્યું હતું કે તેના ફિક્સ ડિપોઝિટ ખાતાઓમાં થાપણોની કુલ રકમ રૂ. 50,000 કરોડના આંકને વટાવી ગઈ છે. બજાજ ફિનસર્વ ગ્રૂપ કંપનીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે તેની સાથે સંકળાયેલા થાપણદારોની સંખ્યા પાંચ લાખ છે અને દરેક થાપણકર્તાએ સરેરાશ 2.87 ફિક્સ ડિપોઝિટ કરી છે. આમ તેની પાસે ફિક્સ્ડ ડિપોઝિટનો 14 લાખ પોર્ટફોલિયો છે.