બનાસકાંઠામાં કેનાલો તૂટવાનું ચાલુ છે. જેમાં થરાદના તકુવા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે. તકુવા માઈનોર-1 કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું છે. જેમાં ગાબડું પડતા રાયડાના પાકમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાણી છોડતી કેનાલ તૂટી ગઈ છે.
જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલો તૂટવાનું ચાલુ છે. ત્યારે થરાદના તકુવા ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું છે. રાયડામાં ઉગેલા પાકમાં નહેરનું પાણી ઓછું હોવાથી ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. જેમાં સફાઈ કર્યા વિના કેનાલમાં પાણી છોડવામાં આવતાં કેનાલ તૂટી ગઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.