બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ત્રણ તાલુકાના લોકો માટે 14મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. બીકે-2 યોજનાના ફિલ્ટર પ્લાન્ટ સહિતના સમારકામના કારણે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. આ પાણી યોજના દ્વારા આપવામાં આવતું પાણી ત્રણ દિવસ બંધ રહેશે.
દેવપુરા ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઇન બુધવારથી રિપેર કરવામાં આવશે. 83 જેટલા ગામોના લોકોને જરૂરી માત્રામાં પાણી નહીં મળે. વાવ તાલુકાના 39 ગામો, સુઇગામના 29 ગામો અને થરાદ તાલુકાના 15 ગામોના લોકોને પાણી પુરવઠા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. જે મુજબ જરૂરીયાત મુજબ પાણીનો જથ્થો સંગ્રહ કરીને ઓછો વપરાશ થાય છે.