નવી દિલ્હી; લોકસભા ચૂંટણીને લઈને બસપાના વડા માયાવતી આજે દિલ્હી પહોંચી ગયા છે. તે હરિયાણા અને પંજાબના બસપાના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને જરૂરી માર્ગદર્શિકા આપશે. આ પહેલા પણ માયાવતીએ વિવિધ રાજ્યોના પાર્ટી અધિકારીઓ સાથે બેઠક કરીને લોકસભા ચૂંટણી માટે રણનીતિ બનાવી છે.
લોકસભાની ચૂંટણી ઉપરાંત આ વર્ષના અંતમાં યોજાનારી 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ BSP મજબૂતીથી લડશે. માયાવતીએ રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી લડવાની જવાબદારી તેમના ભત્રીજા આકાશ આનંદને આપી છે.
જો આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં BSP વધુ સારું પ્રદર્શન કરશે તો લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થશે. આ સાથે આકાશ આનંદનું કદ પણ પાર્ટીમાં વધશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા 5 રાજ્યો રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાંથી બસપા મિઝોરમ સિવાય તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડશે.