બાંગ્લાદેશ ટ્રેન અકસ્માત: બાંગ્લાદેશથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે બાંગ્લાદેશની રાજધાની નજીક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જો સૂત્રોનું માનીએ તો, અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના સ્થાનિક સમયાનુસાર સાંજે લગભગ 4.15 વાગ્યે થઈ જ્યારે એક માલસામાન ટ્રેને કિશોરગંજથી ઢાકા તરફ આવતી પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી. ન્યૂઝ પોર્ટલ BDNews24 એ ભૈરબ રેલ્વે સ્ટેશનના એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું કે અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ન્યૂઝ પોર્ટલે એમ પણ કહ્યું કે ક્ષતિગ્રસ્ત કોચમાં ઘણા લોકો ફસાયા છે. ઢાકા રેલ્વે પોલીસ અધિક્ષક અનવર હુસૈને જણાવ્યું હતું કે, “પ્રારંભિક અહેવાલો અનુસાર માલગાડીએ આગરો સિંધુર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી.”
અપડેટ ચાલુ છે…