બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢમાં 15 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત ઇકબાલગઢ અગ્રેસન વિદ્યાલય ખાતે પીએચસી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇકબાલગઢ પીએચસીના FHW અને MPHW દ્વારા બાળકોને કૃમિનાશક દવા ખવડાવી કૃમિના ચેપથી બચવા માટે માહિતી આપી હતી.
15 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જે અંતર્ગત શાળાઓ અને આંગણવાડીઓ દ્વારા કૃમિનાશની દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. ઈકબાલગઢ પીએચસી દ્વારા ઈકબાલગઢ ગામની અગ્રેસન વિદ્યાલયમાં એક કાર્યક્રમનું આયોજન કરી બાળકોને કૃમિના ચેપથી બચવા કૃમિનાશક દવાના ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા. MPHW રાણા રોહિતકુમાર અને FHW પ્રજાપતિ પિંકાબેને વિદ્યાર્થીઓ અને જનતાને 1 થી 19 વર્ષની વયના તમામ બાળકોને નિ:શુલ્ક સલામત અને અસરકારક કૃમિનાશક દવા નજીકની શાળા અને આંગણવાડીમાં મોકલીને આપવા માટે જાગૃત કર્યા.
15 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જે અંતર્ગત શાળાઓ અને આંગણવાડીઓ દ્વારા કૃમિનાશની દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. ઈકબાલગઢ પીએચસી દ્વારા ઈકબાલગઢ ગામની અગ્રેસન વિદ્યાલયમાં એક કાર્યક્રમનું આયોજન કરી બાળકોને કૃમિના ચેપથી બચવા કૃમિનાશક દવાના ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા. MPHW રાણા રોહિતકુમાર અને FHW પ્રજાપતિ પિંકાબેને વિદ્યાર્થીઓ અને જનતાને 1 થી 19 વર્ષની વયના તમામ બાળકોને નિ:શુલ્ક સલામત અને અસરકારક કૃમિનાશક દવા નજીકની શાળા અને આંગણવાડીમાં મોકલીને આપવા માટે જાગૃત કર્યા.