વાલિયાના કોંધ ગામની નવીનગરીમાં બે કચ્છી મકાનોની દિવાલ અને છત ધરાશાયી થતા એક પરિવારના ચાર સહિત છ લોકો ઘાયલ થયા હતા જ્યારે ઘરના બીજા ભાગમાં બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં ઘવાયેલા 3 બાળકો સહિત 6 લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરાયા હતા, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે કોગ્નિઝેબલ નોટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.