ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત ખરાબ હોવાને કારણે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે ભૂપેન્દ્રસિંહની એન્જિયોગ્રાફી કરવામાં આવશે અને હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.