ભાજપે યુપીમાંથી વધુ 8 ઉમેદવારો જાહેર કર્યા છે. કૌશામ્બી વિનોદ સોનકરને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મંત્રી જયવીર સિંહ મૈનપુરીથી ચૂંટણી લડશે. બલિયાથી પૂર્વ પીએમ સ્વર્ગસ્થ ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ટિકિટ. અલ્હાબાદથી રીટા જોશીની ટિકિટ કેન્સલ કરીને કેશરીનાથ ત્રિપાઠીના પુત્ર નીરજ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી છે. પારસનાથ રાય હવે ગાઝીપુરથી અફઝલ અંસારી સામે ચૂંટણી લડશે. માત્ર બીપી સરોજ મચલીશહરથી ચૂંટણી લડશે. ફુલપુરથી પ્રવીણ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બલિયાના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તની ટિકિટ રદ કરવામાં આવી છે.
યાદી જુઓ