પાકા રસ્તાની સુવિધા દરેક ગામમાં પહોંચી હોવાનો તંત્રનો દાવો છે, પરંતુ હજુ પણ ઘણા ગામો એવા છે જ્યાં પાકા રસ્તાની પાયાની સુવિધા પહોંચી નથી. બીજી તરફ ભિલોડાના કંથારિયાથી વાઘપુર રેલવે ફાટક છેલ્લા 25 વર્ષથી જર્જરિત હાલતમાં છે. સરકાર દ્વારા રસ્તાઓ માટે અનેક પ્રકારની ગ્રાન્ટો આપવામાં આવે છે, પરંતુ કેટલીક વખત આખી ગ્રાન્ટનો ઉપયોગ રોડ બનાવવામાં થતો નથી અને તેના કારણે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી રોડનું કામ ખરાબ હાલતમાં થાય છે. ભિલોડાના નાના કંથારીયા ગ્રામ પંચાયત વિસ્તારના લુસડિયાથી વાઘપુર (ભીમ કદમ) અને રેલ્વે ફાટકને જોડતો રસ્તો હાલમાં જર્જરિત હાલતમાં છે. નાના કંથારીયાના ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે, આલુસડીયાથી વાઘપુર (ભીમ કદમ)ને જોડતો ચાર કિલોમીટરનો રોડ અને રેલ્વે ફાટક છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવ્યો નથી. ત્યારે કરવામાં આવેલ કામ હલકી ગુણવત્તાનું હોવાથી આ રસ્તાઓ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. સમારકામની નબળી ગુણવત્તાના કારણે આ રોડ વધુ જર્જરિત બની ગયો છે અને રોડનું સમારકામ પણ સારું નથી. જેના કારણે આ રોડ પર અનેક જગ્યાએ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.
નવા રોડ અંગે જાગૃત નાગરીકોનું કહેવું છે કે આ રોડ બાબતે આગેવાનો ખોટી બાંહેધરી આપી રહ્યા છે અને રોડ બનાવવામાં આવતો નથી. સાથે જ જો આ રોડ નવો બનાવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત આ રોડનું સમારકામ હલકી ગુણવત્તાનું છે જેના કારણે અકસ્માતો થતા રહે છે અને જો આ રોડનું ટૂંક સમયમાં નવીનીકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
નવા રોડ અંગે જાગૃત નાગરીકોનું કહેવું છે કે આ રોડ બાબતે આગેવાનો ખોટી બાંહેધરી આપી રહ્યા છે અને રોડ બનાવવામાં આવતો નથી. સાથે જ જો આ રોડ નવો બનાવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત આ રોડનું સમારકામ હલકી ગુણવત્તાનું છે જેના કારણે અકસ્માતો થતા રહે છે અને આ રોડનું ટૂંક સમયમાં નવીનીકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.