માતા જગતજનના પવિત્ર સ્થાન અંબાજીને શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે દરરોજ હજારો માઇ ભક્તો અંબાના દર્શન કરવા આવે છે. માતા અંબાના ચરણોમાં નમન કરીને ધન્ય બને છે. શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના આશીર્વાદ લેવા માટે દેશભરમાંથી નેતાઓ, અભિનેતાઓ તેમજ વીઆઈપીઓ અંબાજી આવે છે. ત્યારે આજે કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.
આજે સવારે કેબિનેટ મંત્રીએ મંદિરે પહોંચી માતાજીના આશીર્વાદ લીધા હતા. અંબાજી મંદિરે પહોંચતા મંત્રીનું પુજારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી મંત્રીએ માતાજીના ચરણોમાં માથું નમાવી માતા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પછી મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. ભટજી મહારાજે મંત્રીને રક્ષા કવચ બાંધીને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મંત્રી સંમેલનમાં હાજરી આપવા આજે અંબાજી આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શક્તિપીઠ અંબાજી મંદિરના નવનિર્માણ માટે પ્રતિબદ્ધ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શક્તિપીઠ અંબાજી અને અંબાજી મંદિરના વિકાસને લગતા અનેક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. શક્તિપીઠ અંબાજી મંદિર અને તેની આસપાસના વિકાસની ઝલક નજીકના ભવિષ્યમાં વિશ્વની સૌથી મોટી શક્તિપીઠ અંબાજી તરીકે ઓળખાશે.