દેશભરમાં મણિપુરમાં થયેલી હિંસા ઉપરાંત બે મહિલાઓ સાથેની ઘટના બાદ સરકાર શરમજનક બની ગઈ છે. ત્યારે આ ઘટના સામે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, આજે પાટણ આદિવાસી સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને આ હિંસા બંધ કરવામાં આવે અને મહિલાઓની છેડતી કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. પાટણ આદિવાસી સમાજ દ્વારા મણિપુરમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા હોવા છતા મણિપુરમાં 79 દિવસ બાદ બે મહિલાઓને નગ્ન કરી દેવામાં આવી હતી, જેના પર સરકાર પર ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોપીઓને તાત્કાલિક અને સખત સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય દિલ્હી સરકાર દ્વારા હુમલા અને હિંસા તાત્કાલિક બંધ કરવામાં આવે અને આદિવાસી સમાજ પર થતા અત્યાચારો બંધ કરવામાં આવે તેવી માંગણી કરી છે.