(GNS)<15
શનિવારે તેમના જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાન પ્રેષિત ત્રિમંદિર ખાતે સીમંધર સ્વામી અને અન્ય દેવતાઓને પ્રાર્થના કરીને તેમની દિનચર્યાની શરૂઆત કરી હતી. સૌની સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે મુખ્યમંત્રીશ્રીએ ઇશ્વરની કૃપા ગુજરાત પર વરસતી રહે અને રાજ્ય વિકાસના પંથે આગળ વધતું રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.