ભોપાલ: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કુશાભાઉ ઠાકરે ઈન્ટરનેશનલ ઓડિટોરિયમ ખાતે મતદાર જાગૃતિ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે, ચૂંટણી કમિશનર અરુણ ગોયલ અને મુખ્ય ચૂંટણી અધિકારી મધ્યપ્રદેશ અનુપમ રાજન, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નિતેશ વ્યાસ, નાયબ ચૂંટણી કમિશનર મનોજ કુમાર સાહુ, નાયબ ચૂંટણી કમિશનર અજય ભાદુ, ડિરેક્ટર જનરલ ડૉ. નીતા વર્મા અને ડાયરેક્ટર સ્વીપ સંતોષ અજમેરા તેમની સાથે રહ્યા.
મતદાર જાગૃતિ પ્રદર્શનમાં વર્ષ 1951 થી અત્યાર સુધીની ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ વ્યક્તિઓ અને ઘટનાઓના ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. મતદાર જાગૃતિ માટે સર્જનાત્મક પ્રયાસો જેમ કે માસ્કોટ, પ્રેસ કવરેજ વગેરે પણ દર્શાવવામાં આવ્યા છે.