મોરબી.
મોરબીના ઝુલતા પુલ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. જે બાદ પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી 3 આરોપીઓને આજે કોર્ટે જામીન આપ્યા છે.
થોડા મહિના પહેલા મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાથી 135 લોકોના મોત થયા હતા. મોરબીની ઓરેવા કંપની દ્વારા ઝુલતા પુલનું સંચાલન અને જાળવણી કરવામાં આવી રહી હતી. એટલા માટે પોલીસે ઝૂલતા પુલનું સંચાલન કરતા લોકોની ધરપકડ કરી હતી. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ જયસુખ પટેલ 3 મહિનાથી ફરાર હતો. જોકે આખરે તેણે આત્મસમર્પણ કર્યું હતું. હાલ મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. જોકે જયસુખ પટેલ સહિત 7 આરોપીઓ હજુ જેલમાં છે.