ગરુડેશ્વરમાં આદિવાસી જીલ્લા-નર્મદામાં ઐતિહાસિક સાહસ તરીકે આયોજિત આદિવાસી પરિવારોના પ્રથમ સમૂહ લગ્નમાં આદિવાસી નાયક બીરસમુંડાની પ્રતિમાના અનાવરણની સાથે પ્રાકૃતિક વાતાવરણ, આદિવાસી દેશી-પરંપરા, ઢોલ-નગાડા અને આદિવાસી નૃત્ય પણ પૂજારાવેદી જોવા મળ્યા હતા. આ સમુહ લગ્નમાં લગન ગ્રંથીથી માંડીને સમગ્ર તડવી પરિવારના 5000 થી વધુ મહેમાનો, તાલુકાના તમામ શિક્ષકો, તલાટી મિત્રો, સરપંચશ્રીઓ, દાતાઓ, વકીલ મિત્રોએ આ સમૂહ લગ્નમાં ભાગ લઈ નર્મદાના આયોજકોને આશીર્વાદ આપ્યા હતા.
જેમાં વડોદરા, સંખેડા, છોટાઉદેપુર, સાગબારાના સામાજિક કાર્યકરો શબશરણ તડવી, દિનેશભાઈ તડવી, ભારતીબેન તડવી, પી.ડી.વસાવા, અર્જુનભાઈ રાઠવા, રાધિકાબેન રાઠવા, દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા સહિત તમામ રાજકીય આગેવાનો મુખ્ય મહેમાન તરીકે વ્યક્તિગત રીતે પધાર્યા હતા. નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આમ તમામ દાતાઓના સહકારથી આ સમૂહ લગ્નમાં સમાજમાં થઈ રહેલા ખોટા ખર્ચાઓથી નવદંપતીને બચાવવાનું પગલું ભર્યું છે.
તમામ તડવી પરિવારના આયોજક :-
1. આશિષકુમાર કંચનભાઈ તડવી
2. મેહુલભાઈ નરસિંહભાઈ તડવી
3. પ્રવિણભાઈ રમણભાઈ તડવી
4. બિપીનચંદ્ર સુમનભાઈ તડવી
5. હિતેશભાઈ મહેન્દ્રભાઈ તડવી
6. વિશ્વાબેન નરેન્દ્રભાઈ તડવી
7. શકુંતલાબેન રવિન્દ્રભાઈ તડવી યુવરાજભાઈ
8. રામસિંગભાઈ તડવી
9. શૈલેષભાઈ ભગવાનભાઈ તડવી
10. અમિતકુમાર અંબાલાલ તડવી (ONGC)
11. રવિકુમાર બાબુભાઈ તડવી
12. અશ્વિનભાઈ મથુરભાઈ તડવી
13. મહેશભાઈ વિક્રમભાઈ તડવી (SOU)
- કુલદીપકુમાર ચંપકલાલ તડવી
15. જશવંતભાઈ કિરતારભાઈ તડવી