અંબાજીથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર ગોખની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ ગબ્બર પર્વત પર રોપ-વે સુવિધાનો લાભ લે છે. ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતિના દર્શન કરવા માટે સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો રોપ-વેનો ઉપયોગ કરે છે. જેના કારણે રોપ-વે પર ભારે ભીડ જોવા મળે છે. આથી રોપ-વેની જાળવણીને ધ્યાને રાખીને થોડા સમય માટે રોપ-વેની સુવિધા બંધ રાખવામાં આવી છે. 2/8/2023 થી 5/8/2023 સુધી અંબાજી ગબ્બર ખાતે રોપ-વે મેન્ટેનન્સ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ-વે સુવિધા 4 દિવસ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન પ્રવાસીઓ સીડીઓ ચઢીને ગબ્બર ગોખની મુલાકાત લઈ શકે છે. જાળવણી કાર્ય પૂર્ણ થયા બાદ 06/08/23 થી રોપ-વે સુવિધા સામાન્ય રીતે યાત્રાળુઓ માટે ખુલશે. પ્રસિદ્ધ યાત્રાધામ, અંબાજી મંદિર લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે વિશ્વની અંબાના દર્શન કરવા માટે દરરોજ હજારો ભાવિકો અંબાજી આવે છે. અંબાજીમાં માતાજીના પોતાના મંદિરે દર્શન કર્યા બાદ યાત્રિકો માતાજીની અખંડ જ્યોતિના દર્શન કરવા અંબાજી નજીકના ગબ્બર પર્વત પર જાય છે. માતાજીની અખંડ જ્યોતિના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇ ભક્તો રોપ-વેની સુવિધાનો લાભ લે છે. અને કેટલાક યાત્રાળુઓ ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે 1000 પગથિયાં ચઢે છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે મોટાભાગના યાત્રિકો રોપવેનો ઉપયોગ કરે છે.