(GNS),20
ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. દશેલા ગામમાં કાર પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ છે. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કારમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ છે, જેના કારણે ઘણી નદીઓ અને તળાવો ઉભરાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર નજીક દશેલા ગામની સીમમાં એક કાર ખાબકી હતી. માનવામાં આવે છે કે આ કારમાં પાંચ લોકો હતા, જેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતાં જ ગ્રામજનો અને બચાવ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. હાલ કાર અને એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. આ ઘટનાનો ભોગ બનેલા ચાર યુવકો નરોડાના રહેવાસી છે, જ્યારે એક વ્યક્તિ દશેલા ગામનો છે. આ ઘટના રાજસ્થાનથી પરત ફરતી વખતે બની હોવાનું જાણવા મળે છે. દશેલા ગામનું તળાવ ઓવરફ્લો થવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ડૂબી ગયું હતું. મોડી રાત્રે આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. દશેરાના દિવસે, છોકરાએ રાત્રે 10:00 વાગ્યે તેના પિતાને હેલો બોલાવ્યા હતા. તેના આધારે મોબાઈલ લોકેશન પરથી સમગ્ર ઘટના બહાર આવી છે.