(GNS),તા.13
નડિયાદ,
અમદાવાદમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા લોકોમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન સમારોહ બાદ વરરાજાની તબિયત લથડી છે અને વર અને કન્યાની હાલત પણ કફોડી બની છે. હાલ ગંભીર હાલતમાં વ્યક્તિને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટના એવી છે કે, મોડી રાત્રે લગ્નની વિધિ પૂરી કરીને પ્રેમીપંખીડા અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહ્યા હતા. નડિયાદ ટોલબુથ નજીક માર્ગ પર મોટાભાગના મુસાફરોને અચાનક ઝાડા-ઉલ્ટીની સમસ્યા થવા લાગી હતી. બસમાં સવાર 10 લોકોની હાલત અત્યંત નાજુક હતી. જેના કારણે તાત્કાલિક 108ની ટીમને બોલાવવામાં આવી હતી. ગંભીર હાલતમાં લોકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સારવાર દરમિયાન દરેકને ફૂડ પોઈઝનિંગ હોવાનું જણાયું હતું. આ ઘટનામાં યુવતીની તબિયત પણ લથડતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ડોક્ટરની સલાહ મુજબ સારવાર અપાયા બાદ તમામ લોકોની તબિયત સ્થિર છે. દરેકની તબિયત સુધરી રહી છે.