વડોદરાઃ છોટા ઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ધાધર નદી ગાંડીતૂર બની છે. ધાધર નદીના પાણી બંબોજ, દાંડીવાડા, નારાયણપુર, મગરપુરા સહિતના અનેક ગામોમાં ભરાયા છે.
એટલું જ નહીં ધાધર નદીમાં મગરોની હાજરીને કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગામમાં જ રહેવાનો આદેશ હોવા છતાં તલાટી સહમંત્રી ગાયબ છે.
બીજી તરફ કરજણના નારેશ્વર પંથકમાં ભારે વરસાદના કારણે ખેંચાયેલા ખાડીના પાણી પાલેજ-નારેશ્વર રોડ પર ફરી ઓવરફ્લો થયા હતા. જેના કારણે પાલેજ-નારેશ્વર રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. વરસાદી પાણી નીચાણવાળા માતરોજ ગામમાં ઘૂસી જતાં સરકારી આવાસમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને શાળામાં આશરો લેવાની ફરજ પડી હતી.