મુંબઈ વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. શ્રીલંકાના કેન્ડીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અજીત અગરકર સાથે ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો. ભારતમાં રમાનારો વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના ચેપોક મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે થશે.
આ ભારતીય ટીમ છે
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.