અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ હવે ગુજરાતમાં પહોંચી ગયું છે. ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં જખુથી 140 કિમી દૂર છે. જ્યારે તે દ્વારકાથી 190 કિમી, નલિયાથી 210 કિમી અને પોરબંદરથી 290 કિમી દૂર છે. હાલ તોફાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જોકે પવનની ગતિ ઘટી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ચક્રવાતી તોફાન બિપરજોય આજે જળુ બંદર નજીકથી પસાર થવાની સંભાવના છે. વાવાઝોડું રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.