થરાદ તાલુકાના કાસવી ગામમાંથી કસવી માઈનોર કેનાલ-2 પસાર થાય છે. આ વચ્ચે શનિવારે મધરાતે કાસાવી ગામમાં 25 ફૂટ ખાડો પડી ગયો હતો. જો કે ગાબડાં પડતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ખેતરમાં ઉભેલા જીરૂ, રાયડો અને ઘઉંના પાકને નુકસાન થયું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી કેનાલમાં ગાબડાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. જેમાં થરાદના કાસવી ગામ પાસે માઈનોર કેનાલ 2માં ગાબડું પડતા કેનાલમાં મોટું ગાબડું સર્જાયું હતું અને કેનાલ પાસેના ખેતરોમાં પાણી વહી ગયા હતા. જેના કારણે વાવેલા પાકનો નાશ થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. જેમાં ખેડૂતોએ જીરૂ, ડાંગર, ઘઉં અને અન્ય પાકમાં નુકશાનીનો આક્ષેપ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી કેનાલમાં ગાબડાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. જેમાં થરાદના કાસવી ગામ પાસે માઈનોર કેનાલ 2માં ગાબડું પડતા કેનાલમાં મોટું ગાબડું સર્જાયું હતું અને કેનાલ પાસેના ખેતરોમાં પાણી વહી ગયા હતા. જેના કારણે વાવેલા પાકનો નાશ થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. જેમાં ખેડૂતોએ જીરૂ, ડાંગર, ઘઉં અને અન્ય પાકમાં નુકશાનીનો આક્ષેપ કર્યો છે.