51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે. ત્રણ દિવસમાં 6.85 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો છે અને હજુ પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પરિક્રમા મહોત્સવ દરમિયાન 51 શક્તિપીઠોના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે અને એક જ જગ્યાએ 51 શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વિધાનસભા અંબાજીના દર્શન કરવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, મંત્રીઓ અને તમામ ધારાસભ્યોએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવાનો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આજે સાંજે અંબાજીના ગબ્બરમાં 51માં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવાના છે. જેઓ 51 શક્તિપીઠોના તમામ પરિસરમાં દર્શન અને આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગબ્બર શિખર પર આરતી કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આજે સાંજે અંબાજીના ગબ્બરમાં 51માં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં હાજરી આપવાના છે. જેઓ 51 શક્તિપીઠોના તમામ પરિસરમાં દર્શન અને આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગબ્બર શિખર પર આરતી કરશે.