(GNS),તા.25
ગાંધીનગર,
વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે, દેશના પ્રખ્યાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “નમો નવ મતદાર પરિષદ” ને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યું. જે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા-ગાંધીનગર મહાનગર દ્વારા “નમો નવ મતદાર સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા ચૌધરી કોલેજ, સેક્ટર-7 ખાતે કેબીનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત. જેમાં મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી સૌપ્રથમવાર મતદાન કરવા જતા યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બની મતદાન કરવા અપીલ કરી હતી.