ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, પાલિતાણા, સિહોરમાં સવારે 4.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌરાષ્ટ્રની ધરતી વહેલી સવારે ધ્રૂજી ઉઠી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, પાલિતાણા, સિહોરમાં શુક્રવારે સવારે 4.12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ભાવનગર જિલ્લામાં સવારે 4.12 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું હતું.