મહારાષ્ટ્ર: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જલગાંવના બીજેપી સાંસદ ઉન્મેશ પાટીલ આજે UBT ચીફ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ઉદ્ધવ જૂથમાં જોડાશે. શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે આ માહિતી આપી છે.
સંજય રાઉતે ‘X’ પર લખ્યું, ‘જલગાંવના વર્તમાન સાંસદ ઉન્મેશ પાટીલ અને પૂર્વ મેયર કરણ પવાર આજે માતોશ્રીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના પરિવારમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ બપોરે 12 વાગ્યે શિવસેના (UBT)માં જોડાશે.
કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી સાંસદ ઉન્મેશ પાટીલ તેમની ટિકિટ રદ્દ થવાથી નારાજ છે. પાટીલ ગઈ કાલે માતોશ્રી ગયા હતા અને ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ પહેલા તેઓ સાંસદ સંજય રાઉતને પણ મળ્યા હતા. ભાજપે જલગાંવથી વર્તમાન સાંસદ ઉન્મેશ પાટીલની જગ્યાએ સ્મિતા વાઘને ટિકિટ આપી છે. ગઈકાલે ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ ઉન્મેષ પાટીલે કહ્યું હતું કે તેઓ આવતીકાલે તેમના નિર્ણય વિશે વિગતવાર જણાવશે.
એક તરફ ટીકીટ નકારવામાં આવેલા ભાજપના સાંસદ શિવસેના ઠાકરે જૂથમાં જોડાયા હોવાની ચર્ચા છે તો બીજી તરફ એકનાથ ખડસેના ભાજપમાં પ્રવેશની ચર્ચા છે. જલગાંવ જિલ્લાના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.
દરમિયાન, તેમના પ્રતિસ્પર્ધી ગણાતા ધારાસભ્ય મંગેશ ચવ્હાણે કહ્યું કે ભાજપના સાંસદ ઉન્મેશ પાટીલ શિવસેના (યુબીટી) જૂથમાં જોડાશે નહીં. જલગાંવ લોકસભા સીટ પરથી ટિકિટ નકાર્યા બાદ ઉન્મેષ પાટીલે કહ્યું હતું કે તેઓ બીજેપી સાથે જ રહેશે, કદાચ તેઓ આ જ વાત કરવા માટે માતોશ્રી ગયા હશે, જેના પર ધારાસભ્ય મંગેશ ચવ્હાણે પ્રતિક્રિયા આપી છે.