(જીએનએસ) તા. 20
અમદાવાદ
સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા, વસ્તી ગણતરી નિયંત્રક કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ગુજરાત સેન્સસ કંટ્રોલર આર્દ્રા અગ્રવાલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સ્વચ્છતા અને પર્યાવરણ અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં સ્વચ્છ પર્યાવરણનું મહત્વ દર્શાવતા બેનરો અને સ્વચ્છ અને ગ્રીન ઈન્ડિયાના નારા દર્શાવતા પ્લેકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસ્તા પર જતા વાહનો અને નાગરિકોએ આ રેલીને બિરદાવી હતી.