અંબાજીની મહત્વની વ્યક્તિઓએ અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદારો અને વોર્ડ સભ્યોને અનેક વખત મૌખિક અને લેખિતમાં જાણ કરવા છતાં તંત્રની ઉંઘ અને આળસના કારણે વહીવટીતંત્ર બેદરકારી દાખવી રહ્યું છે. ગામના મુખ્ય માર્ગો પર કચરો, ઢાંકણા વગરની ખુલ્લી ગટર અને ચોકના કારણે નાળાઓનું ગંદુ પાણી ગામને મંદિરથી જોડતા માર્ગો પર વહી જાય છે. યાત્રાળુઓ અને સ્થાનિક રહેવાસીઓએ તેમાંથી પસાર થવું પડે છે. ત્યારે બહારગામથી અંબાજી આવતા માઇ ભક્તો અને યાત્રિકો સુંદર અંબાજી ગામની છાપ લઈને પાછા ફરે છે કે આ સુંદર અને પવિત્ર યાત્રાધામનો વહીવટ કેટલો સ્વચ્છ છે તેની ન તો તંત્રને જાણ છે કે ન તો રાજ્યના સરકારી અધિકારીઓને. તો પછી ગામના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કોણ કરશે?
ગામના દરેક વોર્ડ વિસ્તારમાં સારા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો છે. ત્યારે અંબાજી ગામની હાલત નાના ગામ કરતા પણ કફોડી બની છે. 20 હજારથી વધુ વસ્તી ધરાવતા અંબાજી ગામની પરિસ્થિતિ જો ગ્રામ પંચાયતને બદલે મહાનગરપાલિકાનો વહીવટ આપવામાં આવે તો બદલાઈ શકે છે. અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટો આપવામાં આવ્યા છે. જો કે, ગામમાં રસ્તા, ગટર, સ્વચ્છતા જેવી પર્યાપ્ત માળખાકીય સુવિધાઓનો અભાવ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર અંગત રસ લઈને કામ કરે તો ગામનું ચિત્ર બદલી શકે તેમ છે.
ગામના દરેક વોર્ડ વિસ્તારમાં સારા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો છે. ત્યારે અંબાજી ગામની હાલત નાના ગામ કરતા પણ કફોડી બની છે. 20 હજારથી વધુ વસ્તી ધરાવતા અંબાજી ગામની પરિસ્થિતિ જો ગ્રામ પંચાયતને બદલે મહાનગરપાલિકાનો વહીવટ આપવામાં આવે તો બદલાઈ શકે છે. અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટો આપવામાં આવ્યા છે. જો કે, ગામમાં રસ્તા, ગટર, સ્વચ્છતા જેવી પર્યાપ્ત માળખાકીય સુવિધાઓનો અભાવ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર અંગત રસ લઈને કામ કરે તો ગામનું ચિત્ર બદલી શકે તેમ છે.